રંગોળી માત્ર ધાર્મિક પરંપરાઓનો જ એક ભાગ નથી, પરંતુ તેનું સાંસ્કૃતિક મહત્વ પણ છે.રંગોળી એ ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે. જેને પેઢીઓથી સાચવવામાં આવે છે અને તેનું જતન કરવામાં આવે છે. અરવલ્લી જિલ્લા માહિતી કચેરી ખાતે પુરા સ્ટાફ સાથે રંગોળી કરવામાં આવી હતી..અને દિવાળીના દિવસોને વધાવવામા આવ્યા.દિવસમાં સૌથી વધારે સમય આપણે ઓફિસમાં ગાળતા હોઈએ છીએ જે આપણા ઘર કરતા વધારે મહત્વનું થઇ જાય છે ત્યારે સૌથી મહત્વના તહેવાર દિવાળીની ખુશીઓની શરૂયાત પણ ઓફિસ સ્ટાફ સાથે અને ઓફિસમાં રંગોળી પૂરીને કરવી ખુશીનો માહોલ બનાવે છે અને ઓફિસના સ્ટાફ સાથેની ઉજવણી કામગીરી કરવા માટે ઉત્સાહ પુરે છે….દિવાળીના દિવસે દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે લોકો ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવે છે. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને તેમની કૃપા હંમેશા બની રહે છે.
