દિવાળીના તહેવારોમાં ધનતેરસનું આગવું મહત્વ રહેલું છે ધનતેરસના દિવસે સરસ્વતી યોગ ગ્રુપના ભાઇબહેનોએ સામુહીક અન્નકૂટ લક્ષ્મી પૂજન ધનવંતરી પૂજન અને દિપાવલી મિલનનો ભવ્ય કાર્યક્રમ સરસ્વતી રત્નદીપ બાલ મંદિર ખાતે ઉજવ્યો હતો. જેમાં યોગની બહેનોએ યજ્ઞીય ભાવના સાથે ત્રણ ત્રણ બહેનોએ સાથે રહીને ભાવગીત અને સ્તોત્રો ગાયા બઘા પોતાના ઘરેથી જુદી વાનગીઓ બનાવી. લાવ્યા હતા જેને સજાવીને અન્નકૂટ ભરવામાં આવ્યો હતો ભગવાન ધનવંતરી અને લક્ષ્મીજીનું પૂજન, નારાયણ પરિષદ અને શ્રી સુક્તમ દ્વારા વૈદિક વિધિ વડે પુજન કરવામાં આવ્યું. યજમાન પદે શ્રી પ્રવીણભાઈ અને કૈલાસબેન હતા. બધા જ ભાઈઓ બહેનો ભારતીય પોશાકમાં સુસજજ થઈને ભગવાન સમક્ષ પોતાના સંકલ્પો રજૂ કર્યા હતા. ભાવનાબેન અને દીપ્તિ બેને ભરતનાટ્યમ સાથે ભગવાનની અર્ચના કરી હતી. કાર્યક્રમમાં ગામના અગ્રણી પ્રોફેસર, ડોક્ટર, પત્રકાર બેન્કર્સ કોલેજના સંચાલકો અને શિક્ષકો તથા ગૃહિણીઓ હાજર હતા. કાર્યક્રમનું સંચાલન ડો. હરિલાલ પટેલે કર્યું હતું. શ્રી ભરતભાઈ પરમાર રેડ ક્રોસ સોસાયટી, મંગેશ શેઠ વિનોદ ભાવસાર ડો.ગોવિંદભાઈ, ગોપાલભાઈ સોની ,ચંપકભાઈ, વસંતભાઈ, કમલેશભાઈ પંકજભાઈ ,ચેતનભાઇ, પરેશભાઈ ,જેન્તીભાઈ, ભુપેન્દ્રભાઈ, મણીભાઈ અને ગામના અગ્રણી ભાઈઓ બહેનો સજોડે આવ્યા હતા.. સૌના કલ્યાણ માટે અને દેશભાવના માટે અને વિશ્વ શાંતિ માટે ભગવાનને નમ્ર પ્રાર્થના કરી, આરતી કરી, પ્રસાદ લઈ ચા નાસ્તો કરી સૌ ગળે મળીને નવા વર્ષનું અભિવાદન કર્યું હતું. સુખ દુઃખમાં સાથે રહેવાના નિર્ણયો કર્યા હતા. સંયુક્ત કુટુંબ ટકે તે માટે પ્રયત્નો કરવાનું પણ લીધું હતું. નવા વર્ષમાં સહુ, યોગમાં નિયમિત રહે અને પોતાનું આરોગ્ય જાળવી દેશ અને સ્વહિતમાં યોગદાન આપે તેવો ભગવાન આગળ સંકલ્પ કર્યો હતો. સિંધી બહેનોનો ઉત્સાહ તો આંખે ઉડીને વળગે તેવો હતો.
