Monday, June 16, 2025
spot_img
HomeGujaratમોડાસા જેસીસ મિલ્ક કમિટી દ્વારા આયુર્વેદિક નિદાન કેમ્પનું સફળ આયોજન

મોડાસા જેસીસ મિલ્ક કમિટી દ્વારા આયુર્વેદિક નિદાન કેમ્પનું સફળ આયોજન

અહેવાલ: યોગેશ શાહ: મોડાસા જેસીસ મિલ્ક કમિટીના સુવર્ણ જયંતિ મહોત્સવ વર્ષ નિમિત્તે, 11 જૂન 2025, બુધવારના રોજ જેસીસ હૉલ, મોડાસા ખાતે આયુર્વેદિક નિદાન કેમ્પ (ફ્રી/રાહત દરે સારવાર) યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ સવારે 10 થી 1 અને બપોરે 3 થી 6 દરમિયાન ચાલ્યો હતો.

આ કેમ્પમાં ધનસુરાના આયુર્વેદિક ડોક્ટર વૈદ્ય રમેશચંદ્ર એસ. સથવારા અને સુરતના ડોક્ટર દિનેશભાઈ કાનાબારએ તેમની નિષ્ણાત સેવાઓ પૂરી પાડી હતી. આ રાહત કેમ્પમાં હરસ, મસા, ભગંદર, વાયુજન્ય રોગો, ગુપ્ત રોગો, હૃદય રોગ, ચામડીના રોગ, સ્ત્રી રોગો, શ્વસનતંત્રના રોગો, પેટના રોગ તેમજ દારૂના વ્યસન સહિતના વિવિધ રોગો માટે 60 થી પણ વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.

જેસીસ મિલ્ક કમિટીના ચેરમેન શ્રી નવનીતભાઈ પરીખ, પ્રોજેક્ટ ચેરમેન નિલેશ જોશી અને સેક્રેટરી શ્રી મુકુન્દ શાહએ જણાવ્યું હતું કે આ કેમ્પ દર મહિનાની 11 તારીખે યોજવામાં આવે છે, અને ભવિષ્યમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ આ કેમ્પનો લાભ લે તેવી અપેક્ષા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x