Monday, June 30, 2025
spot_img
HomeNewsમોડાસા સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં " ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા" યોજાઈ

મોડાસા સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં ” ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા” યોજાઈ

અરવલ્લી જિલ્લામાં ૨૫૦ પરિક્ષા કેન્દ્રો પર ૧૫૦૦૦ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી.
ગાયત્રી પરિવાર જન સમાજને યોગ્ય રાહ ચિંધવા અનેક રચનાત્મક, સુધારાત્મક તેમજ સાધનાત્મક આંદોલનો ચલાવે છે. વિદ્યાર્થીઓને પશ્ચિમી જીવનશૈલીની અસરથી બચાવવા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના વિસ્તાર માટે સતત પ્રયાસ કરવામાં આવે છે. ગાયત્રી પરિવાર અરવલ્લી જિલ્લાના સંયોજક હરેશભાઈ કંસારાએ જણાવ્યાનુસાર ગાયત્રી પરિવારના મુખ્યાલય શાન્તિકુંજ, હરિદ્વાર દ્વારા વર્ષ ૨૦૦૧ થી ભારતભરમાં ૨૨ રાજ્યોમાં કુલ ૧૧ અલગ અલગ ભાષાઓમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષાનું આયોજન કરાઈ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિના જ્ઞાન અંતર્ગત ધોરણ પાંચ થી કૉલેજ સુધી અલગ અલગ પુસ્તકોનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થી જીવનમાં બાળકો આપણી સંસ્કૃતિના જ્ઞાનથી વંચિત ના રહે. આ અભ્યાસક્રમ સંદર્ભે દર વર્ષે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષાનું આયોજન થાય છે. આ પરિક્ષા આયોજન માટે દરેક સ્કૂલોના આચાર્ય તથા શિક્ષકો નિશુલ્ક સેવા સહકાર આપી રહ્યાં છે.
૨૧ સપ્ટેમ્બર ૨૦૨૪ ,શનિવારે આ પરિક્ષા આયોજન થયું. જેમાં મોડાસા, બાયડ, ધનસુરા ,ભિલોડા, મેઘરજ સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં ૨૫૦ સેન્ટરો પર આ પરિક્ષા લેવાઈ. જેમાં પંદર હજાર વિદ્યાર્થીઓ સહભાગી બન્યા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x