Monday, June 30, 2025
spot_img
HomeGujaratમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નાગરિક હિતલક્ષી નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નાગરિક હિતલક્ષી નિર્ણય

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધેલા એક મહત્વના નિર્ણયથી સોસાયટીઓ, એસોસિયેશનો અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશનો દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરવામાં આવતી મિલકત તબદીલીઓ (ટ્રાન્સફર) પરનો નાણાકીય બોજ ઘટશે. આ પ્રકારના કિસ્સાઓમાં હવે સ્ટેમ્પ ડ્યુટીની ૧૦૦ ટકા રકમ પૈકી ૮૦ ટકા રકમ માફ કરવામાં આવશે, અને માત્ર ૨૦ ટકા ડ્યુટી જ વસૂલવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૯ (ક) હેઠળ આ જોગવાઈ લાગુ પડશે. મુખ્યમંત્રીએ મધ્યમ વર્ગના લોકોની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને આ નાગરિક-કેન્દ્રિત અભિગમ અપનાવ્યો છે. આ નિર્ણયથી ડ્યુટી ઉપરાંત દંડની ગણતરી થતા પણ લોકો પર કોઈ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં, જે આવા તબદીલીના કિસ્સાઓમાં મોટી રાહત સમાન છે. આ નિર્ણય માત્ર ઉપરોક્ત ચોક્કસ પ્રકારની તબદીલીઓ માટે જ લાગુ પડશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x