Sunday, June 29, 2025
spot_img
HomeGujaratભાવનગરમાં છેલ્લા 3 નાણાંકીય વર્ષમાં વીજ વપરાશમાં 21 ટકાનો વધારો થયો

ભાવનગરમાં છેલ્લા 3 નાણાંકીય વર્ષમાં વીજ વપરાશમાં 21 ટકાનો વધારો થયો

ભાવનગરમાં છેલ્લા 3 નાણાંકીય વર્ષમાં વીજ  વપરાશમાં 21 ટકાનો વધારો થયો

– ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી વિસ્તારોમાં વીજ વપરાશ વધારે

– શહેરમાં  છેલ્લા ચાર વર્ષમાં 1,907.48 મીલીયન યૂનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 1378.89 મીલીયન યૂનિટ વીજ વપરાશ થયો

ભાવનગર : છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષના આંકડાઓ અનુસાર ભાવનગરમાં વીજ વપરાશમાં ૨૧ ટકાનો વધારો થયો છે. સુવિધા યુક્ત જીવનશૈલીમાં વીજ ઉપકરણોનો વપરાશ વધી રહ્યો છે અને વીજળી પ્રાથમિક જરૂરિયાત બની રહી છે. ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી વિસ્તારોમાં વીજ વપરાશ વધારે થયો છે. શહેરમાં છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષમાં ૧,૯૦૭.૪૮ મીલીયન યૂનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૩૭૮.૮૯ મીલીયન યૂનિટ વીજ વપરાશ થયો છે.

સુવિધાયુક્ત અને આસાન જીવનશૈલીમાં વીજ ઉપકરણોનો વપરાશ વધી રહ્યો છે અને વીજળીએ લોકોની પ્રાથમિક જરૂરિયાત બની રહી છે. ગામડાઓમાં શહેરોની સરખામણીએ ઓછો વીજ વપરાશ થાય છે. વીજ વપરાશના છેલ્લા ચાર વર્ષના આંકડાઓ અનુસાર ભાવનગરમાં વીજ વપરાશમાં છેલ્લા ૪ વર્ષોમાં ૨૧ ટકાનો વધારો જોવા મળ્યો છે. એપ્રીલ-૨૦૨૧ થી માર્ચ-૨૦૨૪ સુધીના છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષમાં ભાવનગરમાં કુલ ૪૩૨૭.૫૧ મીલીયન યૂનિટ વીજ વપરાશ થયો છે. જેમાં અર્બન વિસ્તારમાં કુલ વીજ વપરાશના ૬૮.૧૩ ટકા એટલે કે ૨૯૪૮.૬૨ મીલીયન યૂનિટ વીજ વપરાશ થયો જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કુલ વીજ વપરાશના ૩૧.૮૭ ટકા એટલે કે ૧૩૭૮.૮૯ મીલીયન યૂનિટ વીજ વપરાશ થયો છે. જેમાં ભાવનગર શહેરની વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં કુલ વીજ વપરાશના ૪૪.૦૭ ટકા એટલે કે ૧૯૦૭.૪૮ મીલીયન યૂનિટ વીજ વપરાશ થયો છે. વર્ષ ૨૦૨૧ની સરખામણીએ વર્ષ ૨૦૨૪માં શહેરી વિસ્તારમાં ૧૩૩.૦૬ મીલીયન યૂનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ૭૪.૪૨ મીલીયન યૂનિટ વધારે વીજ વપરાશ થયો છે અને ભાવનગર શહેરમાં વર્ષ ૨૦૨૧ની સરખામણીએ વર્ષ ૨૦૨૪માં ૯૭.૬ મીલીયન યૂનિટ વધારે વીજળી વપરાઈ છે. છેલ્લા ૪ વર્ષમાં શહેરી વિસ્તારમાં ૨૦.૧૪ ટકા, ગ્રામ્ય વિસ્તારમાં ૨૪.૮૬ ટકા વધારે વીજ વપરાશ થયો છે તથા ભાવનગર શહેરમાં ચાર વર્ષમાં વીજ વપરાશમાં ૨૩.૧૨ ટકા વીજ વપરાશ વધ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળી છેલ્લા ૪ વર્ષમાં વીજ વપરાશમાં ૨૧.૬૧ ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારમાં ભાવનગર, સિહોર, પાલિતાણા, ગારિયાધાર, મહુવા, વલ્લભીપુર જેવા તાલુકા મથકોના વીજ કનેક્શનનો સમાવેશ થાય છે જ્યારે બાકીના ગામડાંઓ રૂલર વિસ્તાર હેઠળના જ્યોતિગ્રામ યોજનાના કનેક્શનનો છે અને આમાં મોટા ભાગના કનેક્શનો ઘર વપરાશના છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x