Thursday, June 26, 2025
spot_img
HomeGujaratમોડાસામાં રથયાત્રા પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

મોડાસામાં રથયાત્રા પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

યોગેશ શાહ, મોડાસા શહેરમાં 27 જૂન, અષાઢી બીજના દિવસે યોજાનારી રથયાત્રાને લઈને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી. ડી.વાય.એસ.પી એન.પી. આહીરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પીઆઇ એ.બી. ચૌધરી, પીએસઆઇ રાઠોડ, રથયાત્રા ઉત્સવ સમિતિના હોદ્દેદારો, વિશ્વ હિન્દુ પરિષદ અને મોહરમ કમિટીના આગેવાનો સહિત હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી તૈયારી રાખવામાં આવી હોવાનું જણાવાયું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x