જૂનાગઢ: વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે, જેના પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ત્રણેયની શાખ દાવ પર લાગી છે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ બેઠક પર ભાજપના કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને AAPના ગોપાલ ઈટાલિયા સહિત કુલ ૧૬ ઉમેદવારોનું રાજકીય ભાવી નક્કી થશે. વિસાવદર બેઠક પર સરેરાશ ૫૬.૮૯ ટકા મતદાન થયું હતું. મતગણતરી ૨૯૪ બૂથ માટે ૧૪ ટેબલ પર ૨૧ રાઉન્ડમાં હાથ ધરાશે. જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસીયાના નેતૃત્વમાં ૬૦થી વધુ કર્મચારીઓ અને ૨૦૦ પોલીસકર્મીઓ સુરક્ષા માટે તૈનાત છે, જ્યારે સમગ્ર પ્રક્રિયા CCTV દ્વારા મોનિટર કરાઈ રહી છે. આ પરિણામ પર સૌની નજર રહેશે.
