અમદાવાદ: ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૮મી ભવ્યાતિભવ્ય રથયાત્રા આજે અમદાવાદમાં ભક્તોના અદમ્ય ઉત્સાહ વચ્ચે શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથજી, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. આજે સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળા આરતી કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ભગવાનની મંગળા આરતી કરી હતી. આ વર્ષે પહેલીવાર ભગવાન શ્રી જગન્નાથજીને ‘ગોર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું છે, જે ભક્તો માટે ખુશીની વાત છે. મેઘરાજાએ પણ અમી છાંટણાથી રથયાત્રાનું સ્વાગત કર્યું હતું.
