Saturday, June 28, 2025
spot_img
HomeGujaratમાણસાઃ આનંદી માઁ વડલે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

માણસાઃ આનંદી માઁ વડલે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

માણસા આનંદી માઁ વડલે સવારે 10 વાગે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આનંદી માઁના વડલા ના માનદ્ મેનેજીંગ ટ્રસ્ટી અને ભાજપા અગ્રણી સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસની પ્રેરણા અને માર્ગદર્શન અન્વયે ગુજરાત કેન્સર સોસાયટી સંચાલિત ગુજરાત મેડિકલ કોલેજના નિષ્ણાત ડોકટરો દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ડાયાબિટીસ, થાઈરોઈડ, બ્લડ પ્રેશર, કિડનીના રોગો, ચામડીના રોગોના નિષ્ણાંત ડોક્ટરોએ દર્દીઓની તપાસ કરી જરૂરી દવા અને માર્ગદર્શન આપ્યું હતું. કેમ્પમાં આયુષ્યમાન ભારત કાર્ડ પણ લાભાર્થીઓને કાઢી આપવામાં આવ્યા હતા.

Photo By, Dhaval Darji

કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. જરુરીયાતમંદ દર્દીઓની વિના મુલ્યે નિદાન અને સારવાર માટે ગુજરાત કેન્સર સોસાયટી સંચાલિત જીસીએસ મેડિકલ કોલેજના ડાયરેક્ટરશ્રી ડો. કીર્તિભાઈ પટેલ અને સહયોગી ડોક્ટરોનો આભાર માન્યો હતો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x