Saturday, June 28, 2025
spot_img
HomeGujaratમાણસાઃ પરબતપુરા સબ સેન્ટર ખાતે વિશ્વ વસ્તી દિન અન્વયે શિબિર યોજાઈ

માણસાઃ પરબતપુરા સબ સેન્ટર ખાતે વિશ્વ વસ્તી દિન અન્વયે શિબિર યોજાઈ

પરબતપૂરા સબ સેન્ટર ખાતે લાઇબ્રેરી હૉલમાં ગુરૂવારે વિશ્વ વસ્તી દીન નિમીત્તે અને રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ગુરુ શીબિર આયોજન કરાયું હતું. જેમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગ અટકાયત સમજ આપી હતી. તેમજ ઓપરેશન, કોપર ટી, નિરોધ, માલા ડી, છાયા, અંતરા જેવી કાયમી અને બિન કાયમી પદ્ધતિ માટે સમજ આપવામાં આવી હતી. અને સતત વધતી જતી વસ્તીને રોકવા માટે ગ્રામજનોને માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈટાદરના આયુષ મેડિકલ ઓફિસર અનિતાબેન, સુપરવાઈઝર દિનેશભાઈ, આયુર્વેદિક દવાખાના ડો. ધૃતિબેન, મ.પ.હે. તુષારભાઈ, ફી. હે. વ. જયશ્રીબેન તેમજ આશાબહેનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x