સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના કડિયાદરા ગામની સરકારી પી.ટી.સી કોલેજના આચાર્ય જે.જે.દેસાઈ (શિ. સેવા વર્ગ-૨) વય નિવૃત્ત થતાં સમગ્ર કોલેજ પરીવાર ધ્વારા સન્માનિત વિદાય સમારંભ સન્માનભેર યોજાયો હતો.વય નિવૃત્ત આચાર્ય ને હાર પહેરાવી, મોમેન્ટો આપી સન્માનભેર વિદાય આપી હતી.વય નિવૃત્ત આચાર્યના શુભેચ્છા સમારંભ પ્રસંગે અરવલ્લી જીલ્લાના પુર્વ શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ, પુર્વ અધ્યાપક રધુભાઈ, કે.એ.વણકર, આચાર્ય જશુભાઈ દેસાઈ, સારસ્વત મિત્રોએ શિક્ષણ નિરીક્ષકની કામગીરી, વહીવટી કામગીરી સહિત હજ્જારો તાલીમાર્થીઓના ધડવૈયા, વય નિવૃત્ત આચાર્ય – જે.જે.દેસાઈ ના ભગીરથ કાર્યોની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.કડિયાદરા સરકારી પી.ટી.સી કોલેજ, પરીવાર દ્વારા લાગણીસભર, સન્માનભેર વિદાય આપવામા આવી હતી.વય નિવૃત્ત આચાર્ય નું નિવૃત્તીમય જીવન સુખમય, નિરોગી, તંદુરસ્ત રહે તેવા શુભાશિષ સૌ-કોઈ એ પાઠવ્યા હતા.
