માણસા પોલીસ મથકે બેઠકનું આયોજન કરાયું હતું. પોલીસ ઈન્સ્પેક્ટર પી જે ચુડાસ્માના અધ્યક્ષસ્થાને નવા ફોજદારી કાયદા અન્વયે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. બ્રિટિશ કાળથી દેશમાં પ્રચલિત કાયદાઓના સ્થાને, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ નામના ત્રણ નવા કાયદા 1 જુલાઈથી અમલમાં આવ્યા છે. જે કાયદાઓની વિસ્તૃત સમજ નાગરિકોને આપવામાં આવી હતી.


દેશમાં લાગુ થયેલ તમામ નવા કાયદાઓ શું છે અને તેની પ્રક્રિયા શું તેની પણ નાગરિકોને માહિતી આપવામાં આવી હતી. જેમાં પોલીસ સ્ટાફ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.