માણસા તાલુકાના આનંદપુરા અંબોડ ખાતે શ્રી રાજપૂત સિનિયર સીટીઝન ગ્રૂપ દ્વારા સત્સંગ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ચોપડા આપવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ શિક્ષણમાં સફળ થાય તેવા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


ગાંધીનગરના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
આ પ્રસંગે ભાજપ અગ્રણી અને સેવાનુરાગી દિનેશભાઇ વ્યાસ, બલરામસિંહ, રતનસિંહજી વાઘેલા, નિવૃત્ત આઇપીએસ સિધ્ધરાજસિંહ ભાટી, ભૂપતસિંહજી ચાવડા નિવૃત નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ, રાજનસિંહજી ચાવડા, મહેન્દ્રસિંહજી ચાવડા, વૈભવભાઈ જાની, ધર્મજીતસિંહજી ચાવડા, ગંભીરસિંહજી વાઘેલા, પ્રદીપસિંહજી ચાવડા સહિત આગેવાનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
GMCમાં નવા હોદ્દેદારોની વરણી કરાઇ, મેયર તરીકે મીરાબેન પટેલની વરણી
દહેગામ પાલિકાના ઔડા તળાવમાંથી વધુ એક યુવાનનો મૃતદેહ મળતા ચકચાર