Monday, June 30, 2025
spot_img
HomeGujaratકે.એમ. પટેલ વિદ્યામંદિર ઈડરના છાત્રોએ રાષ્ટ્રીય નિબંધ સ્પર્ધામાં મેળવી નોંધપાત્ર સિદ્ધિ

કે.એમ. પટેલ વિદ્યામંદિર ઈડરના છાત્રોએ રાષ્ટ્રીય નિબંધ સ્પર્ધામાં મેળવી નોંધપાત્ર સિદ્ધિ

(રાજેશ ચાવડા-હિંમતનગર) ઈડર: કે.એમ. પટેલ વિદ્યામંદિર, ઈડરના વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૨૪-૨૫ની ૧૪મી રાષ્ટ્રીય નિબંધ સ્પર્ધામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. “વિશ્વ શાંતિ કા આધાર શાકાહાર કી આવશ્યકતા” જેવા મહત્વપૂર્ણ વિષય પર યોજાયેલી આ સ્પર્ધામાં શાળાના ૫૧ વિદ્યાર્થીઓમાંથી ૧૯ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ વિજેતા બન્યા છે. આ સિદ્ધિ બદલ વિજેતા વિદ્યાર્થીઓને મુખ્ય સંયોજક ચંદ્રકલાબેન શાહના હસ્તે પ્રમાણપત્ર અને પર્સ આપી સન્માનિત કરાયા હતા. શાળાના શિક્ષિકા જાગૃતિબેન વણકરે કાર્યક્રમનું કુશળતાપૂર્વક સંચાલન કર્યું.

શાળાના ઇન્ચાર્જ આચાર્ય પી.કે. પટેલ અને સુપરવાઇઝર એ.જી. મોમીને આ પ્રેરણાદાયક દેખાવ બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. વિદ્યાર્થીઓને આ સ્પર્ધા માટે તત્કાલીન આચાર્ય કિરણભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન ખૂબ ઉપયોગી નીવડ્યું હતું. આ સિદ્ધિ કે.એમ. પટેલ વિદ્યામંદિરના શૈક્ષણિક સ્તર અને વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x