Friday, June 20, 2025
spot_img
HomeGujaratજામનગર નજીક વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થતાં એક પાઇલટનું મોત

જામનગર નજીક વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થતાં એક પાઇલટનું મોત

જામનગરના સુવરડા ગામ પાસે ગત રાત્રે વાયુસેનાનું જગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. તાલીમ દરમિયાન બનેલી આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર બે પાઇલટમાંથી એકનું ઘટનાસ્થળે જ નિધન થયું છે, જ્યારે બીજા પાઇલટને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્લેન તૂટી પડતા ખેતરમાં આગ લાગી હતી, જેને ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ વાયુસેના અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પ્લેન ક્રેશ થવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x