Friday, June 20, 2025
spot_img
HomeGujaratઅમદાવાદ વિમાન દુર્ઘટનાના દિવંગતોને અરવલ્લી ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ

અમદાવાદ વિમાન દુર્ઘટનાના દિવંગતોને અરવલ્લી ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ

(યોગેશ શાહ) મોડાસા: અમદાવાદ ખાતે તાજેતરમાં બનેલી ગોઝારી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીજી સહિત અનેક નિર્દોષ યાત્રીઓએ દુઃખદ રીતે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કરુણ ઘટનાને પગલે, અરવલ્લી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આજે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપના કાર્યકરો અને અગ્રણીઓએ દુર્ઘટનામાં અવસાન પામેલા તમામ દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપસ્થિત સૌએ પરમ કૃપાળુ પરમાત્મા દિવંગતોના આત્માને પરમ શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. આ શ્રદ્ધાંજલિ સભા દ્વારા ભાજપ પરિવારે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x