શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ ના રસાયણશાસ્ત્ર ના દાનવીર, સમાજસેવી, દેવરાજ સમાજ રત્ન, ગવર્મેન્ટ એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પ કોર્ડીનેટર, નિશા હોમકેર અલવર રાજસ્થાન, જલારામ સેવા ટ્રસ્ટ ફલધરા વલસાડ થી સન્માનિત અધ્યાપક પ્રો. ડૉ. મનોજભાઇ પી. ગોંગીવાલા ના હસ્તે સર્વોદય નગર ની શાળા મા જરૂરિયાતમંદ બાળકો માટે વાલી મિત્રો ની હાજરી મા સમાચાર પત્રો ની અગત્યતા પર પ્રવચન બાદ 47 જેકેટ્સ, ગ્લુકૉઝ બિસ્કિટસ્ પારલે જી ના પેકેટસ્ નું વિતરણ કરવામાં આવ્યું. શાળા ના આચાર્ય પંચાલ સાહેબશ્રી, સામાજીક કાર્યકર શ્રી નીકેશ ભાઇ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યાં હતાં. ડૉ. મનોજે ૩૨ લાખ બિસ્કીટસ્ રાજ્ય અને રાજ્ય બહાર પંદરસો જેટલા કાર્યક્રમ કરી જરૂરિયાત હોય તેવા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સ્વખર્ચે ચૈત્રી નવરાત્રી 2023 થી કરી રહ્યા છે.
