Thursday, June 12, 2025
spot_img
HomeNewsજય દર્શન સોસાયટીમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ ગયો

જય દર્શન સોસાયટીમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ ગયો

જલ દર્શન સોસાયટી માલપુર રોડ મોડાસા તારીખ 1 .12. 24 ના રોજ પ્રમુખશ્રી જયેશભાઈ એમ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયું તેમાં સોસાયટીના નિવૃત કર્મચારીઓ. જમણવારના દાતાશ્રીઓ. અને ઇનામી યોજના ના દાતાશ્રીઓએ ખૂબ મહેનત કરી કાર્યક્રમ સફળ બનાવ્યું. કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના પ્રજ્ઞાબેન પટેલ તથા સાધના બેન ઉપાધ્યાય સુંદર રીતે વ્યક્ત કરી .મિત્રો તરફથી સૂચનો મળ્યા. ડિસેમ્બર 2025 ના સ્નેહ સંમેલનના જમણવારના દાતાશ્રી મોહનભાઈ સુથાર ટીડીઓ શ્રી તથા તેમના પરિવાર તરફથી જાહેરાત કરવામાં આવી. ડોક્ટર ભાર્ગવ જયેશભાઈ પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ ગાયનેકોલોજી તરફથી 5000 રૂપિયા ફંડ આપવામાં આવ્યું . નવરાત્રી વખતે જે હવન થાય છે તેના દાતાશ્રી શૈલેષભાઈ ઉપાધ્યાય અધિકારી શ્રી તથા તેમના ધર્મ પત્ની સાધનાબેન તરફથી જમણવાર ની જાહેરાત કરવામાં આવી .સમગ્ર જલ દર્શન સોસાયટીના તમામ મિત્રોએ ખૂબ જ ખંત થી ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને કાર્યક્રમને સફળ બનાવ્યો .સફળ બનાવવા માટે કારોબારી સભ્યશ્રીઓ. નવરાત્રીના યુવાન પ્રમુખ શ્રી નિકુંજભાઈ પટેલ તથા તેમની ટીમ. એન્કર હસુભાઈ બી પટેલ આચાર્યશ્રી સુંદર આયોજન કરી બધાના દિલ જીતી લીધા. કાર્યક્રમ પૂરું થયા પછી સરસ મજાનું ભોજન લઈ લીધું અને અંતમાં આભાર વિધિ શ્રી અમરીશભાઈ પંડ્યા એ બધાનો આભાર માન્યો .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x