Sunday, June 8, 2025
spot_img
HomeGujaratવિશ્વ પર્યાવરણ દિવસે દહેગામમાં 'ચકલી ઘર' વિતરણ: શિક્ષક ધર્મેશ ગજ્જર દ્વારા પ્રેરક...

વિશ્વ પર્યાવરણ દિવસે દહેગામમાં ‘ચકલી ઘર’ વિતરણ: શિક્ષક ધર્મેશ ગજ્જર દ્વારા પ્રેરક પહેલ

દહેગામ: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે દહેગામના સ્વામીનારાયણ ટેનામેન્ટ ખાતે “ઘેર ઘેર ચકલી ઘર” વિતરણ કાર્યક્રમ યોજાયો. એન્વાયરોનમેન્ટ કેર એન્ડ ડેવલપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી, જાણીતા પર્યાવરણ સંરક્ષક અને ઉત્કૃષ્ટ શિક્ષક ધર્મેશકુમાર ડાહ્યાભાઈ ગજ્જર દ્વારા આ ચકલીઘરોનું વિતરણ કરાયું હતું.
ધર્મેશ ગજ્જરને અગાઉ શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા છે અને તેમને રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાનો “પર્યાવરણ શિક્ષક એવોર્ડ” પણ એનાયત થયો છે. આ “ચકલી ઘર” વિતરણનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ અને લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો છે. ધર્મેશ ગજ્જરનું આ કાર્ય પર્યાવરણ પ્રત્યેની તેમની અતુટ પ્રતિબદ્ધતા અને સેવાનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x