Tuesday, June 10, 2025
spot_img
HomeGujaratઅરવલ્લી: રાજેન્દ્રનગર સહયોગ સંસ્થા ખાતે દિવ્યાંગ બાળકોનો શિક્ષક સજતા કાર્યક્રમ યોજાયો

અરવલ્લી: રાજેન્દ્રનગર સહયોગ સંસ્થા ખાતે દિવ્યાંગ બાળકોનો શિક્ષક સજતા કાર્યક્રમ યોજાયો

યોગેશ શાહ, મોડાસા: ડાયટ ભવન ઈડર અને અરવલ્લી જિલ્લા ના સંયુક્ત ઉપક્રમે રાજેન્દ્ર નગર સહયોગ સંસ્થા ખાતે દિવ્યાંગ બાળકોના શિક્ષક સજતા તાલીમનું આયોજન કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લાના કુલ 250 જેટલા શિક્ષકો માટે દિવ્યાંગ બાળકોના શિક્ષણ જાગૃતિ અને દિવ્યાંગ બાળકોનું વર્ગ શિક્ષણ વિષયક દિવ્યાંગ શિક્ષક સભ્યતા તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આ સમગ્ર તાલીમનું સંચાલન ડાયટ ભવન ઇડર અને અરવલ્લીના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું જેમાં અરવલ્લી સાબરકાંઠાના તમામ શિક્ષકોએ વ્યક્તિત્વ વિકાસ અને સમાજ જીવનમાં અસર કરતા પરિબળો દિવ્યાંગ બાળકોને કેવી રીતે અસર કરે તેવા વિચારો નું આદાન-પ્રદાન કરવામાં આવ્યું આ સમગ્ર તાલીમ શિબિરના મુખ્ય વક્તા મોડાસા દેવરાજ ધામના મહંત શ્રી ધનેશ્વર ગીરી બાવજી અને ઓસ્ટ્રેલિયાના ઇસ્કોન મંદિરના પ્રચારક મનુ મહંત શ્રી એ દિવ્યાંગ બાળકોના શિક્ષણને આધ્યાત્મ સાથે જોડીને નવી ચેતના પૂરી પાડી તાલીમ દરમ્યાન શિક્ષકોએ આધ્યાત્મિક અને સંવેદનશીલ જ્ઞાન પ્રાપ્ત કર્યું આ નવીન તાલીમના નોખા પ્રયોગમાં શિક્ષકોએ હર્ષ ઉલ્લાસ સાથે ભાગ લીધો. ડાયટ ના પ્રચાર્ય મદનસિંહ દ્વારા દિવ્યાંગ બાળકોને આવનારા નવા શૈક્ષણિક સત્ર ના પ્રારંભ માટે શાળા શિક્ષણ અને સામાન્ય શિક્ષકો અને દિવ્યાંગ બાળકોના શિક્ષકો વચ્ચે સેતુ રૂપ માહિતીનું આદાન પ્રદાન થાય તેવી માહિતી પૂરી પાડી આ કાર્યક્રમમાં સમાજસેવી સંસ્થાઓના અગ્રણી નિલેશભાઈ જોશી જિલ્લા આઇડી કોર્ડીનેટર અમિતભાઈ કવિ જિલ્લા કો- કિર્તીસિંહ ચૌહાણ અને ડાયટ ના તજજ્ઞ અશ્વિનભાઈ પટેલ અને એનડી પટેલ હાજર રહ્યા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x