Wednesday, June 11, 2025
spot_img
HomeNewsમોટી ઇસરોલમાં અડા આઠમ ચૌધરી સમાજનું નવા વર્ષનું સ્નેહ સંમેલન યોજાયું

મોટી ઇસરોલમાં અડા આઠમ ચૌધરી સમાજનું નવા વર્ષનું સ્નેહ સંમેલન યોજાયું

મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે અડા આઠમ ચૌધરી સમાજનુંસેવા મંડળ(બાર ગામ)નું નવા વર્ષનું સ્નેહ સંમેલન યોજાયું હતું આ સમનેલનને રામદેવ ઉપાસક પૂ હીરાદાદા બાવજીએ  દીપપ્રગટાવીનેખુલ્લોમૂક્યોહતોસંમેલનમમાં સમાજના તેજસ્વી તારલાઓ ,વિવિધ ક્ષેત્રમાંથી સેવા નિવૃત્ત થયેલા સમાજના ભાઈ-બહેનોનું , વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત ,સમાજ માટે આર્થિક ભારણ વેઠનાર પુરુષાર્થની પ્રતિમાઓ,સમાજના આગેવાનો અને પત્રકારોને ફૂલ છડી,શાલ અને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા.મોટી ઈસરોલ ગામના યજમાન પદે યોજાયેલા આ સંમેલનમાં અડા આઠમ ચૌધરી સમાજના બાર ગામોમાંથી મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સમાજના અધ્યક્ષવીશાભાઈ પટેલ,પ્રમુખ સદાભાઈ પટેલ,મંત્રી સવજીભાઈ પટેલ,સંકલન કન્વીનર પનાભાઈ પટેલ તથા સમાજના દરેક ગામના કન્વીનરો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ સમેલનનું સુંદર સંચાલન નિવૃત્ત શિક્ષક બહેચરભાઈ પટેલે કર્યું હતું .આ સમેલનને સફળ બનાવવા મોટી ઇસરોલના ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x