શ્રી વિશ્વકર્મા પંચાલ જ્ઞાતિ સેવા સંઘ શામળાજી સંસ્થા ખાતે શ્રી અડા આઠમ પંચાલ સમાજ ના જ્ઞાતિબંધુઓનો ૩૧મો નુતન વર્ષ મિલન મહોત્સવ તથા મહિલા સંમેલન યોજવામાં આવ્યું જેમાં સમાજના વડીલો આગેવાનો માતાઓ ભાઈઓ અને બહેનોએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો. તથા સંસ્થાની સ્થાપનાથી આજદિન સુધી સંસ્થામાં તન મન અને ધન જે પરિવારોએ સેવા કરી છે તેવા લગભગ 125 પરિવારોને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું.
આજના મહોત્સવના મુખ્ય મહેમાન શ્રી નિલેશભાઈ ડાહ્યાભાઈ પંચાલ ગામ ખેરંચા તરફથી ભોજન દાન પેટે રૂપિયા 121000/ સંસ્થાને દાન આપવામાં આવ્યું.તથા આગામી યોજનાર 32 માં મિલન મહોત્સવના ભોજન દાન પેટે સ્વ. ધુળાભાઈ ગેમળભાઈ પંચાલ ગામ ખેરાડી ના સ્મરણાર્થે રૂ. 1,11,000/ભોજન દાન હસ્તે નીલકંઠ સર્જીકલ હોસ્પિટલ હિંમતનગર ડો. ચેતનકુમાર કાંતિભાઈ પંચાલતથાપંચાલ પ્રકાશકુમાર તુળજાભાઇ ગામ બાકરોલ પરિવાર તરફથી રૂપિયા 1,25,555/ સંસ્થાને દાન પેટે નોંધાવેલ છે
તેમજ ત્યારબાદ યોજાનાર 33 માં મિલન મહોત્સવ ના ભોજન દાન શ્રી ધુળાભાઈ શામળદાસ પંચાલ ગામ વરથું હસ્તે ડો. ધર્મેશભાઈ ધુળાભાઈ પંચાલ તથા મહેશકુમાર ધુળાભાઈ પંચાલ પરિવાર દ્વારા નોંધાવવામાં આવેલ છે.
સંસ્થા આ પરિવારોનો ખુબ ખુબ આભાર માને છે.
મહોત્સવને સફળ બનાવવા બદલ આપ સૌ જ્ઞાતિ બંધુઓનો શ્રી વિશ્વકર્મા પંચાલ જ્ઞાતિ સેવા સંઘ શામળાજી સંસ્થા હૃદય પૂર્વક આભાર માને છે.
