અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના મઉં ગામમાં સંજયભાઈ બારોટ ના ઘરે શોર્ટ – સર્કિટ ના કારણે ભીષણ આગ લાગવાની દુર્ઘટનામાં સમગ્ર ઘરમાં આગ પ્રસરી જતા ભારે નુક્સાન થયું હતું.સાબરકાંઠા – અરવલ્લી જીલ્લાના પ્રજાવાત્સલ્ય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજી એ આજ રોજ સંજયભાઈ બારોટ (આરોગ્યકર્મી) ના ઘરે મુલાકાત કરી તેમના પરિવારજનો ના ખબર અંતર પુછી ને સાંત્વના પાઠવી હતી.ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાંતિભાઈ પટેલ, ભાજપ અગ્રણીઓગુલાબચંદભાઈ પટેલ, રાજુભાઈ પંચાલ, પ્રફુલભાઈ વ્યાસ, જીતભાઈ ત્રિવેદી, અમરતભાઈ બારોટ, શ્યામભાઈ પરમાર, અમૃતભાઈ નિનામા અને ભુપેન્દ્રભાઈ પટેલ સહિત સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતાં.
