યાત્રાધામ શામળાજીમાં આજે રથયાત્રા પર્વની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રથયાત્રા પર્વની ઉજવણી કરાય છે.સુંદર કલાત્મક રથમાં ઠકોરજીને રથમાં પૂજારી દ્વારા બિરાજમાન કરીને રથને મંદિર પરિસરમાં ફેરવવામાં આવે છે. વાજતે ગાજતે ભક્તોના ભજન કીર્તન સાથે રથયાત્રા શામળાજી મંદિરમાં ઉજવાય છે.આ રથયાત્રા પર્વમાં રાજ્યસભાના સંસદ અને શામળાજી મંદિરના ટ્રસ્ટી મયંક પટેલ, મંદિરના ટ્રસ્ટીઓ જગદીશ ગાંધી, ટ્રસ્ટી સિદ્ધાર્થ પટેલ, વાઇસ ચેરમેન રણવીરસિંહ ડાભી, ટ્રસ્ટી વિપુલ રાણા, ભાજપ અગ્રણી મહેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ભક્તોએ રથયાત્રા પર્વનો લાભ લીધો હતો. ભગવાન ઠાકોરજીને આજે નવા ખાસ બનાવડાવેલ કલાત્મક રથમાં બિરાજમાન કરીને મંદિર પરિસારમાં ફેરવવામાં આવ્યો હતો. ભગવનને આજે મગ અને જાંબુનો પ્રસાદ ધરવવામાં આવ્યો હતો.
