Monday, June 9, 2025
spot_img
HomeGujaratઅમદાવાદ : ભગવાન જગન્નાથની 147 મી ભવ્ય રથયાત્રા યોજાઈ....

અમદાવાદ : ભગવાન જગન્નાથની 147 મી ભવ્ય રથયાત્રા યોજાઈ….

આજે (7 જુલાઈ 2024) અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્યાએ નીકલ્યા હતા.

ગૃહ પ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી કરી હતી . વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો .ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ને રથમાં બિરાજમાન જોવા લોકમેદની પણ જોવા મળી.

રાજ્યના અન્ય શહેરોમાંથી પણ રથયાત્રા નિહાળવા માટે લોકો આવ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાયા હતા  ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ હતી . ઉલ્લેખનીય છે કે, આ રથયાત્રા એ ભારતની ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા  છે . 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x