Sunday, June 22, 2025
spot_img
HomeGujaratમાધવગઢ ગ્રામ પંચાયતનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન, 25 જૂને પરિણામ

માધવગઢ ગ્રામ પંચાયતનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન, 25 જૂને પરિણામ

ગાંધીનગર: માધવગઢ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું મતદાન આજે રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. ગ્રામજનોના સાથ અને સહકારથી લોકશાહીના આ પર્વને કોઈપણ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. ગામના લોકોએ મોટી સંખ્યામાં મતદાન કરી પોતાનો ઉત્સાહ અને ફરજ અદા કરી છે.

આ ગ્રામ પંચાયત ચૂંટણીમાં ચાર મહિલા ઉમેદવાર અરુણાબેન ગુલાબજી રાઠોડ , અસ્મિતાબેન સંજયજી ચૌહાણ , ગીતાબેન સતીશભાઈ ચૌધરી અને પુંજીબેન રામાજી મકવાણા (ઠાકોર)એ સરપંચ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી અધિકારી દ્વારા આ અંગેનું જાહેરનામું ૧૧ જૂન, ૨૦૨૫ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. દરેક ઉમેદવારે જોરશોરથી પ્રચાર કર્યો હતો. માધવગઢ સહિત રાજ્યભરની ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં પણ આજે મતદાનનો માહોલ જોવા મળ્યો હતો. હવે આ ચાર સરપંચ ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં કેદ થયું છે. નોંધનીય છે કે 25 જૂનના રોજ આ ગ્રામપંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે અને લોકોની આતુરતાનો પણ અંત આવશે. માધવગઢ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટેના ચારેય ઉમેદવારોએ માધવગઢ ગામની જનતાનો બે હાથ જોડી અંતે આભાર માન્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x