Friday, June 13, 2025
spot_img
HomeGujaratસાબરકાંઠા : વિજયનગરના સારોલીના આડાખાખરા નજીક જંગલમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો.

સાબરકાંઠા : વિજયનગરના સારોલીના આડાખાખરા નજીક જંગલમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો.

  • વિજયનગરના સારોલીના આડાખાખરા નજીક જંગલમાં એક યુવકનો મૃતદેહ પડ્યો હોવાની જાણ વિજયનગર પીએસઆઈ વાયબી બારોટને થતા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચતા રાજસ્થાનના ઉદયપુર પાસિંગની બાઈક નંબર આરજે 27 એસએમ 3214 રસ્તા નજીક પડેલી મળી આવી હતી. જ્યાંથી થોડેદૂર એક યુવકનો મૃતદેહ પડેલો નજરે પડ્યો હતો.પીએસઆઈએ જણાવ્યું હતું કે બુધવારે બપોરે મૃતક રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના નયાગામ તાલુકાના થાણા ગામનો રાજેન્દ્ર શાંતિલાલ સુથાર હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું હતું. જે બાદ લાશનું પંચનામુ કરી પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે વિજયનગર રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી. રાજેન્દ્રના પિતા શાંતિલાલ ગુજરાત વન વિભાગમાંથી નિવૃત્તિબાદ વતન થાણામાં રહેતા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x