Thursday, June 12, 2025
spot_img
HomeNewsમોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયુ..

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયુ..

સમગ્ર ગુજરાતમાં રથયાત્રાનું આગવું મહત્વ રહેલું છે આગામી. ૭ જુલાઈના રોજ અરવલ્લીના મોડાસામાં રથયાત્રા પર્વ ભારે હર્ષોલ્લાસના વાતાવરણમાં ઉજવાશે.
જેને લઇ આ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સંજયભાઈ કેશવાલા ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ડી.વાય.એસ.પી રણજીતસિંહ ડાભી અને ટાઉન પીઆઇ કે.ડી. ગોહિલે ઉપસ્થિત રહી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માહિતી આપી હતી.
અરવલ્લી વીએચપી પ્રમુખ સંજય ભાવસાર તેમજ શાંતિ સમિતિના અને રથયાત્રા સમિતિના સભ્યો તેમજ તાજીયા કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
રથયાત્રા સમિતિના પ્રમુખ દીલીપ ભાવસાર અને મંત્રી ભરત ભાવસારે આગામી નિકળનારી રથયાત્રાના રૂટની તેમજ કાર્યક્રમની રૂપરેખા જણાવેલ હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x