બાળકોના ભણતર અને ઘડતરના એક અભિયાન અંતર્ગત વધુમાં વધુ બાળકો સરકારી સ્કૂલમાં દાખલ થાય એ પ્રયાસ હેતુ ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના અલુવા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ.1માં બાળકોને પ્રવેશ અપાયો હતો.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો




ત્યારબાદ એક પેડ “માં” કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌને પર્યાવરણનું જતન કરવા માટે આહ્વવાન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સોનલબેન બારોટ, જિલ્લા પંચાયત સદસ્ય અજીતસિંહ રાઠોડ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. દાતા નરેન્દ્રસિંહ રાઠોડ તરફથી પ્રવેશપાત્ર બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન કરાવવાના ઉમદા હેતુથી વર્ષ-૨૦૦૩માં પ્રથમવાર શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
છેલ્લા બે દાયકામાં તમામની મહેનત બાદ આજે ગુજરાતની શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન કરાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શક્યા છીએ. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇએ વાલીઓ પાસે દીકરીઓને ભણાવવાનું વચન માંગ્યું હતું. જેને આજે કન્યા કેળવણીના માધ્યમથી સાકાર કરવામાં આવી રહ્યું છે. ‘ભણેલી દીકરી બે પરિવાર તારે’ તે કહેવત સાર્થક થઈ રહી છે.
By The Press Solution
ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: આગામી પાંચ દિવસ થશે મેઘમહેર
મોડાસા તાલુકાની સરડોઈ પ્રાથમિક શાળા મા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ ઉજવણી