Wednesday, June 25, 2025
spot_img
HomeGujaratમાણસા ખાતે એક પેડ માઁ કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

માણસા ખાતે એક પેડ માઁ કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

માણસા ખાતે બુધવારે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. માણસા શહેરમાં હનુમાનપુરા સ્મશાનની બાજુમાં એક પેડ માં કે અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું ભાજપ દ્વારા આયોજન કરાયું હતું. જેમાં વૃક્ષો વાવી પર્યાવરણ જતન સંવર્ધનનો સંદેશ અપાયો હતો. આ સાથે જ રોપેલા રોપાના પાંજરા સાથે તેની જતન અને જાળવણીની જવાબદારી નક્કી કરાઈ હતી.

Photo By, Dhaval Darji

આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે એસ પટેલ, શહેર પ્રમુખ એલ એચ પટેલ, મહામંત્રી મોતીલાલ પુરોહિત, ભાજપ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x