Monday, June 9, 2025
spot_img
HomeGujaratસાદરા નજીક સાબરમતી નદી બની મોતનો કૂવો: પુલના કામમાં પણ લોલમલોલ

સાદરા નજીક સાબરમતી નદી બની મોતનો કૂવો: પુલના કામમાં પણ લોલમલોલ

સાદરા નજીક આવેલી સાબરમતી નદીને રેત માફિયાઓએ મોતનો કૂવો બનાવી દીધો છે. આ નદીમાં બનેલો મોતનો કુવો હાલ મોતના સૌદાગરોને હાલ દેખાઈ રહ્યા નથી અને જ્યારે કોઈ આ મોતના કૂવાના કારણે કોઈ દુર્ઘટના બનશે તો કોઈના પર દોષ ઢોળી દેવાશે અને અપરાધીઓને બચાવી લેવાશે. દર વખતની જેમ ઘટના બાદ તંત્ર પગલાં લેવા દોડશે પણ હાલ તેમની આંખો પર પાટા બંધાઈ ગયા હોય તે રીતનું હાલ ભાંસી રહ્યું છે.

સાદરા પંથકમાં આવેલા નદી પટના વિસ્તારોમાં રેતી ખનિજ માફિયાઓ બેખોફ બનીને કુદરતી સંપતિ લૂંટીને લીઝ પરમિશન વગર સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે. ખનીજ ચોરી માટે નદીના પટમાં ખોદકામ કરીને ઊંડા ખાડા પાડી દેતા નદીનું નિકંદન નિકળી રહ્યું છે. સાદરા સાબરમતી નદીમાં પુલની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને એન્જિનિયર્સની મિલીભગત હોય તેવું લાગી રહયું છે.આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સ્થાનિક જિલ્લા કે તાલુકા કક્ષાના નેતાઓ પણ આ ભ્રષ્ટાચારને છવારતા હોઈ તેમ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લોકોને લાગી રહ્યું છે.

By The Press Solution

પશ્ચિમ બંગાળ ટ્રેન અકસ્માતઃ મૃત્યુઆંક વધીને ૧૫ થયો, મૃતકના પરિજનોને ૧૦ લાખનું વળતર અપાશે

દહેગામ હોમગાર્ડ યુનિટના દિવંગત જવાનોના પરિજનોને ધારાસભ્યના હસ્તે ચેક અર્પણ કરાયા

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x