જલપાઈગુડી
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં સવારે કંચનજંગા એક્સપ્રેસને ન્યૂ જલપાઈગુડીના રંગપાની સ્ટેશન પાસે પાછળથી આવતી માલગાડીએ ટક્કર મારી હતી, જેમાં આ અકસ્માતમાં ૧૫ લોકોના મોત થયા હતા અને ૬૦થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઘાયલોની સંખ્યા વધવાની સંભાવના છે. કંચનજંગા એક્સપ્રેસ આસામના સિલચરથી સિયાલદહ જઈ રહી હતી. આજે સવારે એક ગુડ્સ ટ્રેને સિયાલદાહ જઈ રહેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. બીજીતરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ બાઈક પર બેસી ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ દરમિયાન તેમણે રાહત કાર્યની સમીક્ષા કરી રહ્યા છે.
આ દુર્ઘટના પાછળનું પ્રાથમિક કારણ ગુડ્સ ટ્રેનના ડ્રાયવરે સિગ્નલ તોડવાનું માનવામાં આવી રહ્યું છે. તેમજ ઉભી રહેલી ટ્રેનના પાર્સલ વેનના લીધે મોટી દુર્ઘટના ટળી હતી. આ દુર્ઘટનામાં ગુડ્સ ટ્રેનના બંને લોકો પાયલોટના અને કંચનજંગા એક્સપ્રેસના ગાર્ડના મૃત્યુ થયા છે. રેલ્વેએ કહ્યું કે ઘટના સ્થળે બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. અને રેલવે રુટ ક્લિયર કરવામાં આવી રહ્યો છે.
પશ્ચિમ બંગાળ ટ્રેન દુર્ઘટના પર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીડિતોને વળતરમાં વધારો કરવામાં આવશે. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયા અને ઘાયલોને ૨.૫ લાખ રૂપિયા આપવામાં આવશે.

By The Press Solution
દહેગામ હોમગાર્ડ યુનિટના દિવંગત જવાનોના પરિજનોને ધારાસભ્યના હસ્તે ચેક અર્પણ કરાયા