સ્વચ્છ ભારત મિશન યોજના અંર્તગત ડોર ટુ ડોર ઘન કચરાનો નિકાલ માટે અને કચરાના કલેક્શન માટે ગાંધીનગર જિલ્લાના માધવગઢ ગામમાં ડેપ્યુટી સરપંચ અને ગામના સભ્યો-આગેવાનોની હાજરીમાં સ્વાગત કરવામાં આવ્યું. માધવગઢ ગામમાં ગતરોજ ગામના ડેપ્યુટી સરપંચ અને ગામના લોકોની હાજરીમાં ઇ-રિક્ષાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


સ્વચ્છ ભારત મિશન યોજના અંર્તગત ડોર ટુ ડોર ઘન કચરાનો નિકાલ અને કલેક્શન કરવા માટે આ રિક્ષા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ફાળવવામાં આવી છે. ગામના લોકોએ ઈ-રીક્ષાને ફુલહાર ચઢાવી ઇ-રીક્ષાનું સ્વાગત કર્યું હતું. ઇ-રીક્ષાની ચાવી માધવગઢ ગ્રામપંચાયતને અર્પણ કરવામાં કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં માધવગઢ ગામના લોકો અને આગેવાનો હાજર રહ્યા હતા અને સરકાર અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
By The Press Solution
ગાંધીનગર જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની કલોલ ખાતે ઉજવણી કરાશે