માણસા તાલુકાના ધોળાકુવા ગામના બે યુવાનોનું સાબરમતી નદીમાં ડૂબી જવાથી જ્યારે અન્ય એક યુવકનું અકસ્માતમાં અવસાન થયું હતું. જ્યારે રિદ્રોલ ગામની યુવતીનું માણસા ખાતે અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જે પરિવારોને આર્થિક સહાય મળે તે માટે ધારાસભ્ય જે એસ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી દ્વારા રજૂઆતને ધ્યાને લઈ રૂપિયા 4-4 લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી.


ધારાસભ્ય જે એસ પટેલે ધોળાકુવા અને રિદ્રોલ ગામે રૂબરૂ પરિવારોને મળી રૂ. 4 લાખની સહાયના ચેક અર્પણ કર્યા હતા. આ પ્રસંગે મામલતદાર કિશનભાઈ ચૌધરી, ટીડીઓ જે એસ પટેલ, તાલુકા પ્રમુખ લક્ષ્મણસિંહ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ, પૂર્વ સાંસદ, ડિરેક્ટર યોગેશભાઈ પટેલ, સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ, પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર સહિત આગેવાનો અને સ્થાનિકો જોડાયા હતા. લાભન્વિત લોકોએ ધારાસભ્ય જે એસ પટેલ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.