અમદાવાદ: અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC)નું રાષ્ટ્રીય અધિવેશન 9 એપ્રિલે સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે. 64 વર્ષ બાદ ગુજરાતમાં યોજાનાર આ અધિવેશનમાં 3000થી વધુ નેતાઓ ભાગ લેશે. 8 એપ્રિલે શાહીબાગના સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ભવનમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક યોજાશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. સાંજે ગાંધી આશ્રમમાં ભજન સંધ્યા યોજાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે બંને સ્થળોની પસંદગી કરી છે.
