ગુજરાત સરકારે આજે ગાંધીનગર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી ખાતે લાભાર્થીઓને લોન તથા સહાય વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને આણંદ જિલ્લાના 3.99 લાખથી વધુ લાભાર્થીઓને 514 કરોડ રૂપિયાથી વધુની લોન અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનામાં અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને દિવ્યાંગ લાભાર્થીઓને લાભ મળ્યો હતો. સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
