શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી.ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી જિલ્લાના રસાયણ વિજ્ઞાન ના અધ્યાપક શ્રી મનોજ પી. ગોંગીવાલા આજ રોજ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ મહિયાપુર સંકુલ ની નર્સિંગ માં ભણતી બાળાઓને માનવસેવા, ગૌ માતાની અગત્યતા પર વ્યાખ્યાન આપ્યું સંચાલક શ્રી મહેશભાઈ પટેલ તથા ટ્રેનર ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો. જેસવાડી પ્રાથમિક શાળા માં ભણતા બાળકો માટે પ્રાર્થના અને સ્વચ્છતા, સ્વાધ્યાય નું મહત્વ પર વ્યાખ્યાન આપ્યુ તમામ માટે ગ્લુકૉ બિસ્કિટસ્ પારલે જી નુ વિતરણ કર્યું.
માઁ અંબે ના પુરુષાર્થી સંકલ્પબદ્ધ સેવકે ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં ૨૯ લાખ ગ્લુકૉ બિસ્કિટસ્ 1000 જેટલી ચર્ચાઓ સાથે જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા સમર્પણ પોતાના સ્વખર્ચે કરી રહ્યા છે.
