હિંમતનગર તાલુકાના બેરણા ગામે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા નાયક સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું. અસાઈત ભવન ખાતે યોજાયેલા સ્નેહ મિલન માં માતૃ પિતૃ વંદના કરી નવી પેઢીને અલગ સંદેશ આપવામાં આવ્યો હતો.જ્યારે ભવાઈ કલાકારો અને યુવાનોએ નાટક પાત્રો દ્વારા સમાજમાં જાગૃતિ આવે અને ગૌરવ વધે તેવા પ્રયાસ કર્યા હતા.આ પ્રસંગે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.શ્રી નવ સંસ્કરણ નાયક વિકાસ મંડળ અને અસાઈત નાયક સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અસાઈત સેવા સંસ્થાન ગાંધીનગરના પ્રમુખ પંકજ ભાઈ નાયક, ઈડર નાયક સમાજ સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ નીતિન ભાઈ નાયક અને પાનસરથી વાસુદેવ ભાઈ નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી નવ સંસ્કરણ નાયક વિકાસ મંડળ ના પ્રમુખ ડો.જગદીશ ભાઈ નાયક, ડો.અતુલ ભાઈ નાયક, ડો.અશ્વિન ભાઈ નાયકની રાહબરી હેઠળ થયું હતું.
