તા. ૧૦૫ વર્ષથી અવિરત શિક્ષણ પ્રદાન કરતી શ્રી.કે.એન શાહ મોડાસાહાઇસ્કૂલમાં શાળાના તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન કરી “ગૌરવ પુરસ્કાર” કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમમાં ઉદ્ઘાટક શ્રી ભીખુસિંહજી પરમાર(મા.મંત્રીશ્રી,અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ,ગુજરાત સરકાર)મુખ્ય મહેમાન શ્રીમતી શોભનાબેન બારૈયા(મા.સાંસદશ્રી,સાબરકાંઠા ,અરવલ્લી જીલ્લો) અતિથી વિશેષ શ્રી મહેન્દ્રસિંહ બારૈયા(પૂર્વ ધારાસભ્યશ્રી પ્રાંતિજ-તલોદ) તથા શ્રી નીરજભાઈ શેઠ(પ્રમુખશ્રી મોડાસા નગરપાલિકા) તથા સમારંભ અધ્યક્ષ શ્રી બિપીનભાઈ ર શાહ (પ્રમુખશ્રી મોડાસા કેળવણી મંડળ) તેમજ મો.કે મંડળના હોદેદારો,શાળા પરિવાર, વાલીગણ ની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો.આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 ના પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરતાં વિદ્યાર્થીઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હની એસ.શાહ અને ચિરાગ એસ.રહેવર કે જેમને C.A ની પદવી પ્રાપ્ત કરી છે તે બદલ તેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું.ભગિની સંસ્થાના આચાર્ય ડો.આર.સી મહેતા સાહેબનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું આમ ગૌરવ પુરસ્કાર સંપૂર્ણ સફળ થયો
