*તારીખ ૦૫/૦૯/૨૦૨૪ ના રોજ BSNL-MTNL પેન્શનર્સ સંગઠનોના જોઈન્ટ ફોરમ દ્રારા પેન્શનરોની પડતર માંગણીઓ જેવી કે તારીખ ૦૧/૦૧/૨૦૧૭ થી ૧૫% ફીટમેન્ટ સાથે પેન્શન રીવીઝન, મેડિકલ એલાઉન્સ તથા મેડિકલ બિલની ચૂકવણીમાં વિલંબ અને અન્ય પડતર માંગણીઓના સંદર્ભે સમગ્ર રાજ્યના પેન્શનરો કામા હોટલ, ખાનપુર, અમદાવાદ નજીક સવારે ૧૦:૦૦ કલાકે એકત્રિત થયા હતા જ્યાંથી સુત્રોચ્ચાર સહિત રેલી સ્વરૂપે નીકળી સીસીએ ઓફિસર ગુજરાતની ઓફિસ આગળ પહોંચ્યા હતા અને બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઓલ ઇન્ડિયા બીડીપીએ સંગઠન ઇન્ડિયાના ઉપપ્રમુખ અને ગુજરાતના સેક્રેટરી શ્રી મનુભાઈ ચનિયારા, ગુજરાતના પ્રમુખ શ્રી નટુભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી વિજેશકુમાર કે પંડ્યા, આસિસ્ટન્ટ સેક્રેટરી શ્રી મોહમ્મદ અતાઉલ્લાહ હાજર રહ્યા હતા જ્યારે બીડીપીએ સંગઠન ઈન્ડીયાના સેક્રેટરી શ્રી દિનેશ મિસ્ત્રી ગુજરાતના પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ વિગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં હાજર રહેલા પેન્શનરોને સંબોધિત કર્યા હતા. ધરણાંના કાર્યક્રમ બાદ ઉપસ્થિત ઉપરોક્ત આગેવાનોએ સીસીએ ઓફિસર ગુજરાત મારફતે કેન્દ્ર સરકારને માગણીઓ ના સંદર્ભમાં આવેદનપત્ર આપ્યું હતું. સદર કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં પેન્શનરો એ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.*

*અત્રે ઉલ્લેખનિય છે કે થોડા દિવસો અગાઉ પણ ૦૨/૦૭/૨૦૨૪ ના રોજ સમગ્ર દેશમાં દરેક જિલ્લા મથકે આ જોઈન્ટ ફોરમ દ્વારા જીલ્લા ટેલિકોમ બિલ્ડીંગ આગળ દેખાવો તથા સૂત્રોચારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વળી આગામી તારીખ ૧૨ અને ૧૩/૧૧/૨૦૨૪ એમ બે દિવસ માટે ચલો દિલ્હીનો ધારણા અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ નવી દિલ્હીના જંતર મંતર ખાતે યોજાનાર છે. જેમાં દેશભરમાંથી હજારોની સંખ્યામાં પેન્શનરો ઉપસ્થિત રહીને સરકાર સમક્ષ પોતાના હકની માગણી આવેદનપત્ર આપીને રજૂ કરશે.*