અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સતત વરસી રહેલાં વરસાદને કારણે રામપાર્ક વિસ્તારના વિદ્યાકુંજ સોસાયટી, રત્નમ રેસીડેન્સી તેમજ નીચાણ વિસ્તારમાં પાણી ભરાતા પાણી ઘરોમાં ઘુસ્યા હતાં તેમજ ઘરવખરીના સામાનને પણ નુકસાન થયું હતું તેથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

નગરપાલિકાના અધિકારીઓ, કોર્પોરેટરો તથા તેમનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્યાંની પરિસ્થિતિ જોઈને સ્થાનિક લોકોને મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો જરૂર પડ્યે નૌકા ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જરૂરિયાતમન્દ લોકો ને ઘરે ઘરે જઈને સ્થળાંતર માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વધુમાં ચીફ ઓફિસરશ્રી એ જણાવ્યું હતું કે જો વરસાદ આવી જ રીતે સતત વરસતો રહેશે તો વધારે મુશ્કેલી સર્જાઈ શકે છે તેઓએ સ્થાનિક ફસાયેલા લોકો માટે ફૂડ પેકેટ આપવાની વ્યવસ્થા પણ કરીશું તેવું જણાવ્યું હતું.પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકા ના સ્ટાફ રાત્રી દરમિયાન પણ ખડેપગે રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે પાણીના કારણે રોગચાળો અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધશે ત્યારે શું પગલાં લેવાશે તે જોવાનું રહ્યું.