Monday, June 9, 2025
spot_img
HomeGujaratઅમદાવાદ પોલીસ કમિશનરનો પરિપત્ર: ઇન્ચાર્જ અધિકારીની જવાબદારીમાં ઘટાડો

અમદાવાદ પોલીસ કમિશનરનો પરિપત્ર: ઇન્ચાર્જ અધિકારીની જવાબદારીમાં ઘટાડો

અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકે એક મહત્વનો પરિપત્ર બહાર પાડી રજા પર ગયેલા અધિકારીના બદલીમાં રહેલા ઇન્ચાર્જ અધિકારીની જવાબદારી ઘટાડી અમુક નિર્ણયો લેવા પર રોક લગાવી દેવામાં આવી છે.

પરિપત્ર મુજબ,

  • ઇન્ચાર્જ અધિકારી કોઇ સ્ટાફની બદલી કે બઢતી કરી શકશે નહી.
  • તપાસની ફાઇલ જરૂર વિના ઉપરની કચેરીએ મોકલી શકશે નહી.
  • કોઇ પણ પ્રકારની ખાતાકીય તપાસ કે પ્રાથમિક તપાસ પર નિર્ણય લઇ નહી શકે.
  • કોઇપણ કર્મચારીને ઇનામ કે સજાની જાહેરાત નહી કરી શકે.
  • જો કોઇ સંજોગોમાં મહત્વના નિર્ણય લેવાની ફરજ પડે તો ચોક્કસ કારણ જણાવવું પડશે.

અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા એક મહત્વનો પરિપત્ર બહાર પાડી કોઇ અધિકારી રજા પર જાય તો તેમના ઇન્ચાર્જ તરીકે રહેલા સિનિયર અધિકારીએ માત્ર એ પોસ્ટ પર રૂટિન કામગીરી જ કરવાની રહેશે.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

અમદાવાદના પોલીસ કમિશનરનો પરિપત્ર
અમદાવાદના પોલીસ કમિશનરનો પરિપત્ર: ઇન્ચાર્જ અધિકારીની જવાબદારીમાં ઘટાડો

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં એક સિનિયર આઇપીએસ અધિકારી રજા પર ગયા ત્યારે તેમના ઇન્ચાર્જ અધિકારીએ રૂટિન કામગીરી કરવાની સાથે મોટાપાયે બદલીના આદેશ આપ્યા હતા. જેના કારણે મોટાપાયે વિવાદ થયો હતો અને ઇન્ચાર્જ અધિકારી પર ગંભીર આક્ષેપ કરાયા હતા. જે વાત દિલ્હી સુધી પહોંચી હતી. જે ને આ પરિપત્ર જાહેર કરાયો છે.

By The Press Solution

એકલિંગજી ક્રેડીટ કો.ઓ.સો.લી.મોડાસા ના ચેરમેન તરીકે અશોક જોષી અને વાઇસ ચેરમેન તરીકે ભુપેન્દ્ર ગોર ની વરણી

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

મોડાસાની બ્હેરામુગા શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું

માણસા ખાતે રૂચી મલ્ટીસ્પેશ્યાલિટી અને રિસર્ચ સેન્ટરનું લોકર્પણ કરાયું

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x