ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન પર્વ દિને માણસા શહેર અને તાલુકાના પ્રજાજનો માટે આશિર્વાદરૂપ સેવાઓનો પ્રારંભ રુચિ મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલના વિવિધ રોગોના નિષ્ણાત યુવાન ડોકટરો દ્વારા કરવામાં આવ્યો હતો. રુચિ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં અધતન સુવિધાઓ સાથે દર્દી નારાયણોની સારવાર કરવામાં આવશે તેવો વિશ્વાસ અને શ્રધ્ધા હોસ્પિટલના સીઇઓ ઈલા પટેલે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ભાજપ અગ્રણી સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસે મેડિકલ તેમજ પેરામેડીકલ સ્ટાફને અભિનંદન પાઠવી માણસાના પ્રજાજનોને સારી સારવાર માનવીય અભિગમ સાથે ઉપલબ્ધ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.


આ પ્રસંગે નિવૃત્ત IPS દેવેન્દ્ર પટેલ, ઇન્કમટેક્ષ અધિકારી તુષારભાઈ પરમાર (IRS), હોસ્પિટલના ફાઉન્ડર ચેરમેન ભાવેશભાઇ જાનીએ પ્રાસંગિક પ્રવચન કરી શુભકામનાઓ પાઠવી હતી. હોસ્પિટલ ના સંસ્થાપક ડો. લલિત સૌની અને ડો. વિજયકાંત પટેલ સૌનો આભાર માન્યો હતો.