ભવ્યતા…આસ્થા-ઉલ્લાસનું ઘોડાપુર…હકડેકઠ મેદની છતાં સ્વંયભૂ શિસ્ત…ચારેકોર બસ ‘જય રણછોડ, માખણચોર’નો નાદ… ભગવાન જગન્નાથની ૧૪૭મી રથયાત્રાને વર્ણવવાનો આ પ્રયાસ માત્ર છે. કેમકે, જગતના નાથની રથયાત્રાની ભવ્યતાને શબ્દો દ્વારા વર્ણવવી તે ગાગરમાં સાગર ભરવા જેવું કામ છે. અષાઢી બીજના પાવન પર્વે દહેગામ ગોપાલ લાલજી મંદિરથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન અવસરે દહેગામ નિજ મંદીરે આરતી ઉતારી રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, દહેગામ નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
ધારાસભ્ય બલરાજસિંહે જગતના નાથ સમક્ષ લોકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ, એકતા અને સર્વાંગીણ વિકાસની પ્રાર્થના કરી હતી.

દર વર્ષે નગરજનોને દર્શન આપવા માટે ભગવાન જગન્નાથ ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળતા હોય છે. શ્રદ્ધાળુઓ માટે રથયાત્રાનું પર્વ અત્યંત વિશિષ્ટ છે અને દિવાળી-ઉત્તરાયણ જેમ તેની પણ આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. રથયાત્રા નિર્વિધ્ને સંપન્ન થાય તેના માટે મંદિર સંચાલકો-પોલીસ તંત્ર લગભગ બે મહિનાથી તડામાર તૈયારી કરતા હોય છે.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
રવિવારે વહેલી પરોઢથી જ ભાવિકો પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિર તરફ જ દર્શન અર્થે પહોંચે છે. ભક્તોના હૃદયમાં એકમાત્ર તાલાવેલી ભગવાન જગન્નાથના દર્શન કરવાની હતી અને જેના માટે તેમણે ઉંઘ પૂરી કરવાની પરવા કરી નહોતી. સવારે ચાર વાગતાં જ જેવા નીજ મંદિરના દ્વાર ખોલ્યા એ સાથે જ ‘જય રણછોડ’ના નાદથી મંદિર પરિસર ગૂંજી ઉઠયું હતું. સવારે મંગળા આરતી બાદ ભગવાનને પ્રિય એવો ખીચડી-કોળા-ગવારફળીનું શાક-દહીંનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.
By The Press Solution
અમદાવાદ : ભગવાન જગન્નાથની 147 મી ભવ્ય રથયાત્રા યોજાઈ….
અરવલ્લી : યાત્રાધામ શામળાજીમાં ભવ્ય રથયાત્રા…
ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો