આસામમાં જળ પ્રલય જોવા મળી રહ્યો છે. પૂર જેવી સ્થિતિના કારણે અત્યાર સુધી 52થી વધુ લોકોના મોત નિપજ્યાં છે જ્યારે ઘણા મકાનો ધરાશાયી થઈ ગયા છે. પૂર જેવી સ્થિતિ છે. રાજ્યની મુખ્ય નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આપેલી વિગતો મુજબ, આસામ રાજ્યમાં પૂરના કારણે 52થી વધુ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે અને 30 જિલ્લાઓમાં 24 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. કચર, કામરૂપ, ધુબરી, નાગાંવ, ગોલપારા, બારપેટા, ડિબ્રુગઢ, બોંગાઈગાંવ, લખીમપુર, જોરહાટ, કોકરાઝાર, કરીમગંજ અને તિનસુકિયા અસરગ્રસ્ત જિલ્લાઓમાં સામેલ છે.
