હિંમતનગર એસ.ટી.વિભાગ ભિલોડા એસ.ટી.બસ ડેપોમાં વર્ષોથી ફરજ બજાવતા વય નિવૃત્ત ડ્રાઈવર ભુપતસિંહ એસ.જાડેજા, બચુભાઈ બી.પાંડોર, ઘુળજીભાઈ પી.અસારી નો સન્માન સમારોહ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો.હરેશભાઈ પંડયા – હિંમતનગર વન વિભાગના એ.સી.એફના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
જગદીશભાઈ પટેલ – મહામંત્રી ભારતીય મઝદુર સંઘ, હિંમતનગર વિભાગ, કનુભાઈ બળેવા (નિવૃત્ત એસ.ટી.ડેપો – મેનેજર), ભિલોડા એસ.ટી.બસ ડેપોના વહીવટી કર્મચારીઓ દિપકભાઈ સુથાર, રાજેશભાઈ અસારી, રાજેન્દ્રસિંહ ચંપાવત, મુકેન્દ્રસિંહ સિસોદિયા, મહેન્દ્રસિંહ ચંપાવત,

ઉપેન્દ્રસિંહ ચંપાવત સહિત એસ.ટી.બસ સ્ટેશનના કર્મચારીઓ, સગાં-સબંધીઓની ઉપસ્થિતિ દરમિયાન વય નિવૃત્ત ત્રણ કર્મચારીઓને કંકું નું કુંમ-કુંમ તિલક કરીને, સાફો પહેરાવી, શાલ ઓઢાડી, ફુલહાર પહેરાવી, મોમેન્ટો આપી સન્માનભેર વિદાય અપાઈ હતી. વય નિવૃત્ત કર્મચારીઓનું નિવૃત્તીમય જીવન સુખમય રીતે તંદુરસ્ત નિવડે તેવા શુભાશિષ પાઠવ્યા હતા.
ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે ૪ અને ૫ જુલાઈના રોજ ભરતીમેળાનું આયોજન
હરણાહોડા ગામમાં તળાવમાં કેમિકલયુક્ત પાણી નાખનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ
ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો