ચરાડા ગામની ગાયત્રીનગર પ્રાથમિક શાળા તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગરમાં શ્રી મુંબઈ જીવદયા મંડળ, અમદાવાદ અને ધોરણ- 8, સને 2023/24ના વિદ્યાર્થીઓના વિદાયની યાદગીરી પ્રસંગે પંખીઘર ‘ચબૂતરો’ બનાવવામાં આવ્યો છે.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
શાળાના શિક્ષક હિતેશભાઈ ત્રિવેદી દ્વારા શ્રી મુંબઈ જીવદયા મંડળ, અમદાવાદ અંગે માહિતી મેળવવામાં આવી હતી. શાળામાં ચબૂતરાને કારણે પંખીઓના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. આ પ્રસંગે સંસ્થાના SMC, શાળાના આચાર્ય મેહુલભાઈ સોની અને શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.