સમગ્ર રાજ્યભરમાં 26 જૂનથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. શ્રી ગાત્રેશ્વરી વિદ્યાવિહાર માધ્યમિક શાળા ખાતે બાળકોનું શૈક્ષણિક ભાવી વધુ ઉજ્જવળ બનાવવા અને કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહિત કરવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2024ની ઉજવણી કરવામાં આવી, જેમાં આંગણવાડી, બાળવાટીકા અને ધોરણ 1ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે શાળાના પ્રમુખ પ્રવિણસિંહના હસ્તે નવીન કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે ચાલતી ‘નમો લક્ષ્મી યોજના’ અને ધોરણ ૧૦ પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે ચાલતી ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ અંગે શિક્ષક પંકજભાઈ દ્વારા ઉપસ્થિત સૌને માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, શાળાના આચાર્ય, પ્રમુખ તથા ટ્રસ્ટી મંડળના સભ્યો, શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિત શાળાનો સ્ટાફ, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
By The Press Solution
ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
મોડાસામાં રથયાત્રા સમિતિના આયોજકોએ પૂર્વ તૈયારી શરૂ કરી
સોલૈયા અભિનવ પ્રા.શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો