બુધવારે સોલૈયા અભિનવ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન જિલ્લા નાયબ નિયામક ખેતી વિસ્તરણ અધિકારી જીતેન્દ્રભાઈ વરમોરા, સી.આર.સી.જિગરભાઈ, ગામના સરપંચ, શાળાના આચાર્ય, શાળા પરિવાર, એસ.એમ.સી.સભ્યો અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આંગણવાડીના 19 બાળકો અને બાળવાટીકા 25 બાળકો અને ધોરણ 1 ના 6 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં મુખ્યમંત્રી જ્ઞાનસેતુ અને જ્ઞાન સાધના અને NMMS પરીક્ષામાં મેરિટમાં આવેલ કુલ 22 જેટલા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શાળાના આચાર્ય ભરત ચૌધરીએ બાહ્યપરીક્ષાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું.